Gujarat na Sanskrutik Van: આ લેખમાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વન વિશે માહિતી મેળવીશું જે ગુજરાત સરકારની આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
ગુજરાતના સાંસ્કૃતિક વન: અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં સાંસ્કૃતિક વન વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે . ગુજરાતમાં કેટલા સાંસ્કૃતિક વન આવેલા છે.? સાંસ્કૃતિક વનોનું નિર્માણ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? વન મહોત્સવ ક્યારથી શરૂ કરવામાં આવ્યો હતો? જેવી વિવિધ માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે.
Gujarat na Sanskrutik Van – વન મહોત્સવ
ગુજરાતના સાંસ્કૃતિક વન વિશે માહિતી મેળવતા પહેલા વન મહોત્સવ વિશે માહિતી મેળવીશું
Van Mahotsav – વન મહોત્સવ વિશે માહિતી
- વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે.
- વન મહોત્સવની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ શરુ હતી.
- ભારતમાં વન મહોત્સવ ક્યારે મનાવવામાં આવે છે. – 1 જુલાઈ થી 7 જુલાઈ
- વન મહોત્સવનો મુખ્ય હેતુ: વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.
ગુજરાતનાં સાંસ્કૃતિક વન વિશે માહિતી
- ગુજરાતમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ ની શરૂઆત નરેંદ્ર મોદી દ્વારા 2004 કરવામાં હતી.
- ગુજરાતમાં સૌપ્રથમ સાંસ્કૃતિક વન ગાંધીનગર ખાતે નિર્માણ કરવામાં આવ્યું હતું.
જેનું નામ પુનિત વન રાખવામાં આવ્યું હતું. - ગુજરાતમાં અત્યાર સુધી 22 સાંસ્કૃતિક વાર નું નિર્માણ થઈ ગયું છે. વર્ષ 2023 માં સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન વનનું નિર્માણ થયું હતું.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતી Pdf
List of Gujarat na Sanskrutik Van – ગુજરાતના સાંસ્કૃતિક વનની યાદી
ક્રમાંક | વનનું નામ | વર્ષ | સ્થાન |
---|---|---|---|
1 | પુનિત વન | 2004 | સેક્ટર-18, ગાંધીનગર |
2 | માંગલ્ય વન | 2005 | અંબાજી (બનાસકાંઠા) |
3 | તીર્થકર વન | 2006 | તારંગા (મહેસાણા) |
4 | હરિહર વન | 2007 | સોમનાથ (ગીર સોમનાથ) |
5 | ભક્તિવન | 2008 | ચોટીલા (સુરેન્દ્રનગર) |
6 | શ્યામલ વન | 2009 | શામળાજી (અરવલ્લી) |
7 | પાવક વન | 2010 | પાલિતાણા (ભાવનગર) |
8 | વિરાસત વન | 2011 | પાવાગઢ (પંચમહાલ) |
9 | ગોવિંદગુરુ સ્મૃતિ વન | 2012 | માનગઢ હિલ ગઢડા (મહીસાગર) |
10 | નાગેશ વન | 2013 | દ્વારિકા (જામનગર) |
11 | શક્તિવન | 2014 | કાગવડ (જેતપુર, રાજકોટ) |
12 | જાનકી વન | 2015 | વાસંદા (નવસારી) |
13 | આમ્રવન | 2016 | ધરમપૂર (વલસાડ) |
14 | એકતા વન | 2016 | બારડોલી (સુરત) |
15 | મહીસાગર વન | 2016 | વહેળાની ખાડી (આણંદ) |
16 | શહિદ વન | 2016 | ભૂચર મોરી (ધ્રોલ, જામનગર) |
17 | વીરાંજલિ વન | 2017 | પાદલઢવાવ (સાંબરકાંઠા) |
18 | રક્ષકવન | 2018 | રુદ્રમાતા ડેમ (કચ્છ) |
19 | જડેશ્વર વન | 2019 | ઓઢવ (અમદાવાદ) |
20 | રામ વન | 2020 | આજીડેમ (રાજકોટ) |
21 | મારુતિનંદન વન | 2021 | કલગામ (વલસાડ) |
22 | વટેશ્વર વન | 2022 | દૂધરેજ (સુરેન્દ્રનગર) |
Gujarat na Sanskrutik Van Pdf – ગુજરાતના સાંસ્કૃતિક વનની Pdf
Gujarat na Sanskrutik Van Pdf | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.