Gujarat na Sanskrutik Van: આ લેખમાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વન વિશે માહિતી મેળવીશું જે ગુજરાત સરકારની આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
ગુજરાતના સાંસ્કૃતિક વન: અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં સાંસ્કૃતિક વન વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે . ગુજરાતમાં કેટલા સાંસ્કૃતિક વન આવેલા છે.? સાંસ્કૃતિક વનોનું નિર્માણ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? વન મહોત્સવ ક્યારથી શરૂ કરવામાં આવ્યો હતો? જેવી વિવિધ માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે.
Gujarat na Sanskrutik Van – વન મહોત્સવ
ગુજરાતના સાંસ્કૃતિક વન વિશે માહિતી મેળવતા પહેલા વન મહોત્સવ વિશે માહિતી મેળવીશું
Van Mahotsav – વન મહોત્સવ વિશે માહિતી
- વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે.
- વન મહોત્સવની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ શરુ હતી.
- ભારતમાં વન મહોત્સવ ક્યારે મનાવવામાં આવે છે. – 1 જુલાઈ થી 7 જુલાઈ
- વન મહોત્સવનો મુખ્ય હેતુ: વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.
ગુજરાતનાં સાંસ્કૃતિક વન વિશે માહિતી
- ગુજરાતમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ ની શરૂઆત નરેંદ્ર મોદી દ્વારા 2004 કરવામાં હતી.
- ગુજરાતમાં સૌપ્રથમ સાંસ્કૃતિક વન ગાંધીનગર ખાતે નિર્માણ કરવામાં આવ્યું હતું.
જેનું નામ પુનિત વન રાખવામાં આવ્યું હતું. - ગુજરાતમાં અત્યાર સુધી 22 સાંસ્કૃતિક વાર નું નિર્માણ થઈ ગયું છે. વર્ષ 2023 માં સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન વનનું નિર્માણ થયું હતું.
List of Gujarat na Sanskrutik Van – ગુજરાતના સાંસ્કૃતિક વનની યાદી
ક્રમાંક | વનનું નામ | વર્ષ | સ્થાન |
---|---|---|---|
1 | પુનિત વન | 2004 | સેક્ટર-18, ગાંધીનગર |
2 | માંગલ્ય વન | 2005 | અંબાજી (બનાસકાંઠા) |
3 | તીર્થકર વન | 2006 | તારંગા (મહેસાણા) |
4 | હરિહર વન | 2007 | સોમનાથ (ગીર સોમનાથ) |
5 | ભક્તિવન | 2008 | ચોટીલા (સુરેન્દ્રનગર) |
6 | શ્યામલ વન | 2009 | શામળાજી (અરવલ્લી) |
7 | પાવક વન | 2010 | પાલિતાણા (ભાવનગર) |
8 | વિરાસત વન | 2011 | પાવાગઢ (પંચમહાલ) |
9 | ગોવિંદગુરુ સ્મૃતિ વન | 2012 | માનગઢ હિલ ગઢડા (મહીસાગર) |
10 | નાગેશ વન | 2013 | દ્વારિકા (જામનગર) |
11 | શક્તિવન | 2014 | કાગવડ (જેતપુર, રાજકોટ) |
12 | જાનકી વન | 2015 | વાસંદા (નવસારી) |
13 | આમ્રવન | 2016 | ધરમપૂર (વલસાડ) |
14 | એકતા વન | 2016 | બારડોલી (સુરત) |
15 | મહીસાગર વન | 2016 | વહેળાની ખાડી (આણંદ) |
16 | શહિદ વન | 2016 | ભૂચર મોરી (ધ્રોલ, જામનગર) |
17 | વીરાંજલિ વન | 2017 | પાદલઢવાવ (સાંબરકાંઠા) |
18 | રક્ષકવન | 2018 | રુદ્રમાતા ડેમ (કચ્છ) |
19 | જડેશ્વર વન | 2019 | ઓઢવ (અમદાવાદ) |
20 | રામ વન | 2020 | આજીડેમ (રાજકોટ) |
21 | મારુતિનંદન વન | 2021 | કલગામ (વલસાડ) |
22 | વટેશ્વર વન | 2022 | દૂધરેજ (સુરેન્દ્રનગર) |
Gujarat na Sanskrutik Van Pdf – ગુજરાતના સાંસ્કૃતિક વનની Pdf
Gujarat na Sanskrutik Van Pdf | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
1 thought on “Gujarat na Sanskrutik Van Pdf | ગુજરાતના સાંસ્કૃતિક વન (વન મહોત્સવ) વિશે માહિતી”